રાજ્યના 77 IAS અધિકારીઓની બદલી, સુરત-રાજકોટ-જામનગર મનપાના કમિશનર બદલાયા

રાજ્યમાં મોટા પાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરત,રાજકોટ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર બદલાયા છે. અમદાવાદના ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે.

મહિસાગરના કલેક્ટર આર.બી.બરાડને વડોદરાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. રેમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. દિલીપ રાણાની અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરની આદિવાસી વિભાગમાં બદલી કરવામાં આવી છે.એમ.એ.પંડ્યા દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર બન્યા છે. સુરતના કલેક્ટર ધવલ પટેલને ગાંધીનગરમાં ગુડાના CEO બનાવવામાં આવ્યા છે.

રાજકોટના કલેક્ટર ઉદીત અગ્રવાલને મહેસાણાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. કચ્છ-ભૂજ કલેક્ટર પ્રવિણા ડીકેને પંચમહાલના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. અરૂણ મહેશ બાબુને રાજકોટના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના 77 IAS અધિકારીઓની આજે બદલી કરી દેવામાં આવી છે. તેમાં સૌથી મોટા નામોમાં અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી કરાઇ છે જ્યારે GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. જામનગરના જામનગર કલેક્ટર રવિશંકરને SOUના વડા બનાવાયા છે.

જીલ્લા વિકાસ અધિકારી તરીકે મિહિર પ્રવીણ કુમાર પટેલ નિમણુંક


દાહોદ કલેકટર વિજય કુમાર ખરાડીની જામનગર મ્યુનીસીપલ કમિશ્નર તરીકે નિમણુક



જામનગર કલેકટર રવિશંકરને સ્ટેચ્યુ ઓફ યુનિટી વડા બનાવવામાં આવ્યા

જુનાગઢ કલેકટર ડો. સૌરભ પારધીની જામનગર કલેકટર તરીકે નિમણુક

                             ડો. સૌરભ પારઘી 





      દ્વારકા કલેકટર તરીકે મુકેશ એ. પંડ્યાની નિમણુંક
 


રાજકોટના કલેક્ટર તરીકે અરુણ મહેશ બાબુ

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે અમિત અરોરાની નિમણુક

જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરીની નિમણુક

રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આશિષ કુમાર

મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનર રાજકોટ તરીકે વરુણકુમાર બરણવાલ

ઉદીત અગ્રવાલને મહેસાણાના કલેક્ટર બનાવાયા

બી.જી. પ્રજાપતિને આણંદના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા

આયૂષ ઓકને સુરત જિલ્લાના કલેક્ટર બનાવાયા

અંજુ શર્માને લેબર અને રોજગારના મુખ્ય સચિવ બનાવાયા

સાબરકાંઠા-હિંમતનગરના કલેકટર તરીકે એચ.કે કોયાની નિમણુક

એ.એમ શર્માને ડાંગ-આહવા જિલ્લાના કલેટર બનાવવામાં આવ્યા

આર.ડી.બારડને વડોદરાના કલેક્ટર બનાવાયા

રૈમ્ય મોહનને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર બનાવાયા

કે.કે. નિરાલા, સચિવ, મહિલા અને બાળ કલ્યાણ

એચ.કે.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ

સતીષ પટેલ, કમિશનર, મધ્યાહન ભોજન યોજના અને સ્કૂલ્સ

હર્ષદકુમાર પટેલ, સચિવ, શ્રમ અને રોજગાર

રાજકોટ ક્લેક્ટર રૈમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશનમાં બદલી કરવામાં આવી છે.

Post a Comment

0 Comments