ગુજરાતમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ સંક્રમિત 29 શહેરોમાં 5મીં મે સુધી રાત્રીના 8થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂનું એલાન કરવામાં આવ્યું હતું. જેની મુદ્દત પણ આવતી કાલે પૂરી થઈ રહી છે.
મુખ્યમંત્રી નિવાસ સ્થાને CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ,ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા,એમ.કે દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિતના સચિવો પણ જોડાયા છે.
0 Comments