સંકટ વચ્ચે આ મહિનાના અંતમાં શરૂ થનારી કાંવડ યાત્રાને લઇને યુપી સરકાર તરફથી આપવામાં આવેલી મંજૂરી પર હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવી લીધુ છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે યુપી સરકારને નોટિસ ફટકારી છે. જસ્ટિસ આરએફ નરીમનની અધ્યક્ષતા ધરાવતી બેંચે કાંવડ યાત્રાની પરવાનગી આપવા ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણયને ધ્યાનમાં લીધો છે અને યુપી સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
મહત્વપૂર્ણ છે કે મહિનાના અંતમાં શરૂ થનારી કાંવડ યાત્રાને લઇને યુપીમાં કેટલીક શરતો સાથે પરવાનગી આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જરૂરીયાત અનુસાર આરટી-પીસીઆરની નેગેટિવ રિપોર્ટની જરૂરીયાતને પણ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે કોરોનાની સ્થિતિને લઇને મંગળવારે યુપીના મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ કહેવામાં આવ્યુ કે મુખ્યમંત્રીના આદેશ અનુસાર પારંપરિક કાંવડ યાત્રા કોવિડ પ્રોટોકોલ સાથે કરવામાં આવશે.
કોરોના સંક્રમણની સ્થિતિને જોતા કહેવામાં આવ્યુ કે કાંવડ સંઘો સાથે આ મુદ્દા પર વાત કરવામાં આવે અને ઓછા લોકોને જ કાંવડ યાત્રામાં સામેલ થવા કહેવામાં આવે. આ સાતે જ અન્ય રાજ્યો જેવા દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડથી આવનારા કાંવડ ભક્તો માટે યાત્રા સાથે જોડાયેલી ગાઇડલાઇન જાહેર કરવામાં આવે. જરૂરી હોય તો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટને જરૂરીયાતના રૂપથી લાગુ કરવામાં આવે.
0 Comments